અમદાવાદ : ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી નવા પોઝીટીવ કેસો 1540 થી વધુ નોંધાયા છે. જેની સામે 1427 થી વધુ દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલ સુધીમાં 13 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક 4031 ઉપર પહોચી ગયો છે. કહેવામાં આવે છે કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની ગતિ હવે પકડથી બહાર જઈ રહી છે. હમણાં રોજના 1540 થી વધુ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પોઝીટીવ દર્દીઓનો આંક 2,14,309 થયો છે. તેની સામે 1,93,938 દર્દીઓ સાજા થઇ જતા તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.
અગર રાજ્યવાર માહિતી જોવા જઈએ તો રાજ્યમાં 3 દિવસમાં આવેલા પોઝીટીવ કેસોની સંખ્યા 2,14,309ની સામે એક્ટીવ કેસોની સંખ્યા 14,913 નોંધાઈ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા 2,14,309 જેટલી થવા જાય છે. રાજ્યમાં હાલ 14,913 કુલ કેસો નોંધાયા છે, તેમાંથી 96 વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા છે, 14,817 કેસો હાલમાં સ્ટેબલ છે, 1,93,938 કેસોને રજા આપવામાં આવી છે, અને તેની સામે કુલ 4031 દર્દીઓના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં જોવા જઈએ તો, ગઈકાલે 09 દર્દીના મૃત્યુ નોંધાયા છે.