સુરત મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર-21ના ભાજપી ઉમેદવાર અશોક રાંદેરીયા સામે કોગ્રેસ ઉમેદવારે વાંધો રજૂ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ભાજપી ઉમેદવારે બીજી પત્ની અને સંતાનો બતાવ્યા નથી. જેથી તેમની એફિડેવિટ ખોટી છે. આ મામલે ચૂંટણી અધિકારી આર.આર.બોરડે સુનાવણી હાથ ધરી ફોર્મ અને એફિડેવિટ ક્રોસ ચેક કરી હતી. તેમને કહ્યું હતું કે, ભાજપી ઉમેદવારે જે ફોર્મ અને એફિડેવિટ સબમિટ કરી છે તે ચૂંટણી આયોગે આપેલી પ્રિસ્કાઇબ્ડ ફોમેર્ટ મુજબ છે. જેથી કોંગ્રેસી ઉમેદવારનો વાંધો ફગાવી દેવાયો છે.